અમદાવાદ, એએમટીએસ અને પાંચ પૈસાની બસ ટિકિટ

.

નવરંગપુરાનો અમારા તરફનો વિસ્તાર તે સમયે હજી નવો વિકસતો હતો. સરદાર પટેલ કોલોની સુધી જ પાકો રોડ. નારણપુરા તરફના વિસ્તારો હજી વિકસ્યા ન હતા, તો તે તરફ પાકા રોડ ક્યાંથી હોય?

અમારા વિસ્તારને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાંસપોર્ટ સર્વિસ (એએમટીએસ) ના બે બસ રૂટ મળેલા – લાલ દરવાજાથી સરદાર પટેલ કોલોની માટે 14/બી નંબરની બસ; કાળુપુર સ્ટેશનથી સરદાર પટેલ કોલોની માટે 22 નંબરની બસ.

અમારા માટે – બાળકો માટે લાલ દરવાજા કે સ્ટેશન જવા માટેની બસ ટિકિટ માત્ર પાંચ પૈસાની! હકીકતમાં, એએમટીએસના કોઇ પણ રૂટ પર અમદાવાદ શહેરમાં માં ક્યાંય પણ મુસાફરી કરવા માટે બાળકોની ટિકિટ માત્ર પાંચ પૈસાની રહેતી.

એએમટીએસની બસોનો રંગ લાલ હતો; તેથી સૌ તે બસોને “લાલ બસ” તરીકે જ ઓળખતા. 14/બી નંબરની બસ લાલ દરવાજાથી મિરઝાપુર, રેંટિયાવાડી, દિલ્હી દરવાજા, શાહપુર, ગાંધી બ્રિજ, ઇંકમટેક્સ ઓફિસ થઈ હાલના સ્ટેડિયમ સર્કલ પાસેથી વળીને સરદાર પટેલ કોલોની જતી. ત્યારે હજી સરદાર પટેલ સ્ટેડિયમની જગ્યાએ ટેકરીઓ હતી; સરદાર સ્ટેડિયમના નિર્માણનો હજી માંડ આરંભ થયો હતો લાલ દરવાજા જવા માટે નહેરુ બ્રિજ પણ નહોતો બન્યો. થોડા સમય પછી એએમટીએસની બસ સર્વિસનો વ્યાપ વધ્યો. સરદાર પટેલ કોલોનીથી લાલ દરવાજા માટે 62 તથા સ્ટેશન માટે  66 નંબરના રૂટ બન્યા.

ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે તત્કાલીન અમદાવાદના ગૌરવ સમા નહેરુ બ્રિજનું ઉદઘાટન થયું અને અમને 63 નંબરનો લાલ દરવાજા વાયા નહેરુ બ્રિજનો રોયલ બસ રૂટ મળ્યો. 

7 thoughts on “અમદાવાદ, એએમટીએસ અને પાંચ પૈસાની બસ ટિકિટ

  1. હરીશભાઈ, બહુ જ સરસ બ્લોગ છે. ગુજરાતી ભાષા માં પ્રસિદ્ધ થતો આપનો બ્લોગ વાંચવામાં ઘણો આનંદ થયો.

    ગુજરાતી ભાષા ના પ્રચાર અને પ્રસાર માટે અમે પણ ગુજરાતી પુસ્તકો દુનિયા ના કોઈ પણ ખૂણે ઘેર બેઠા મળી રહે એ માટે વેબસાઈટ ચાલુ કરેલ છે. જેમાં મહતમ પુસ્તકો ઉપલબ્ધ થશે (હજારો અપલોડ થઇ ચુકેલ છે અને હજારો થઇ રહ્યા છે) અને સૌથી મહતમ ડિસ્કાઉન્ટ કસ્ટમર ને મળી રહેશે એવી કોશિશ કરીએ છીએ. આપ એક વખત મુલાકાત લેશો તો આભારી થઈશ.

    ધર્મેશ વ્યાસ

    Like

  2. પ્રિય બ્લોગબંધુ,
    દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
    વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
    શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
    મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.કોમ

    સહકારની અપેક્ષાસહ,
    આપનો દિવ્યેશ વ્યાસ.

    Like

  3. પ્રિય વાચકમિત્રો,

    દીપાવલિની શુભકામનાઓ અને સમૃદ્ધિપૂર્ણ નૂતન વર્ષ માટેશુભેચ્છાઓ!
    અનિવાર્ય કારણોસર બ્લોગિંગ-પ્રવૃત્તિમાં અનિયમિતતા થઈ અને તેની આપને સૂચના ન પાઠવી શક્યો તે બદલ આપની ક્ષમા પ્રાર્થું છું.
    આપના પ્રેમભર્યા પ્રતિભાવો બદલ ધન્યવાદ.. . . હરીશ દવે અમદાવાદ

    Like

Leave a reply to divyesh vyas જવાબ રદ કરો